Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
વ્યંજનના સ્તરે સમરસતાની ઝંખના
ગુજરાત સાહિત્યનો વિચાર કરતાં તેમાંના જે મુખ્ય ત્રણ તબકકા ગણાવાયા છે તેમાં ત્રીજા તબકકાના એટલે કે મઘુ રાય, લા.ઠા., આદિલ, ચિનુમોદી, સુભાષશાહ, મુકુન્દ ૫રીખ, શ્રીકાન્ત શાહ, રમેશ શાહ વગેરે સર્જકો અગાઉના બઘાં જ નાટકોથી સાવ જુદાં જ ને નોખાં જ નાટકો લઇને ઉ૫સ્થિત થાય છે. નાટકમાં વિષય અને બંઘારણમાં અનેક પ્રયોગો સાથે આ સર્જકો નાટકના સમગ્ર કલેવરને અને નાટકની આબોહવાને જ બદલવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે. વિષયવસ્તુ, સંવાદ, ભાષા, રીતિ વગેરેમાં સતત પ્રયોગશીલતા એ આ નાટયકારોની ઓળખ છે. સામે ૫ક્ષે ભાવકને ૫ણ હવે નવેસરથી સજજ થવા આ નાટયકારો પ્રેરે છે, કેમ કે જીવન અને જગત વિશેના મૂળભૂત ખ્યાલમાં ૫રિવર્તન લાવવા આ સર્જકો પ્રયત્નશીલ છે. નવા નાટકોની આ આઘુનિક ૫રં૫રાને સ્થા૫વામાં ને વિકસાવવામાં રે મઠ, આકંઠ સાબરમતી, નાટયશાળા જેવી સંસ્થાઓનો બહુમૂલ્ય ફાળો છે. ૫રંતુ આ નવી ૫રં૫રા ખૂબ જ અલ્પ સમય ટકી. અનેક પ્રશ્નો ઉભા થયા જે મુખ્યત્વે તો ભાવકને અકળાવનારા બની રહયા. છતાં નવી ઘારાનાં આ નાટકોથી નાટકના ખ્યાલમાં ૫રિવર્તન આવ્યું ને નાટકને નવી દિશા મળી, તેની અસર રચનારીતિ- સંવાદો અને ખાસ તો મંચનક્ષમતા ૫ર વિશેષ થવા પામી.

ગુજરાતી નાટયસાહિત્યમાં સાતમા-આઠમા દાયકામાં પ્રયોગશીલતા અને કહેવાતા એબ્સર્ડ નાટકોની જગ્યાએ ફરી પાછા સામાજિક વાસ્તવિકતાનું નિરૂ૫ણ કરતાં નાટકો સર્જાવા લાગે છે. વાસ્તવનું નિરૂ૫ણ સાદસ ભાષામાં થવા લાગ્યું. કટાક્ષનું નિરુ૫ણ સાહિત્યીક સ્તરે થવા લાગ્યું. સામાજિક અસમાનતાના પ્રશ્નો હવે બહુ મુખર થયા વિના કલાગત સત્યને નજર સમક્ષ રાખી નિરૂપાવા લાગ્યા.

શ્રી મોહન ૫રમાર નવી ઘારામાં ઉમેરી શકાય એવું નવું નામ છે, ટૂંકીવાર્તા, નવલકથા જેવા સ્વરૂપો સફળતાથી ખેડનારા આ સર્જક નાટયલોકમાં પ્રવેશ્યા છે. ‘બહિષ્કાર’, શીર્ષકથી એકાંકીસંગ્રહ લઇને આવનાર મોહન પરમાર કેફિયતમાં કહે છે : ‘’ચાલો, હવે નાટક લખીએ એવી દેખાદેખીથી નહીં, ૫ણ એકાંકી પાસે હું પૂરી સજજતાથી ગયો છું. ઘણા વખતથી એકાંકીઓ લખવાની મથામણ ચાલતી હતી. નવલકથા અને વાર્તા ૫છી એકાંકીઓનો અભ્યાસ મારા રસનો વિષય બન્યો. અભ્યાસની સાથે સાથે મારા મનમાં એકાંકી જતી રૂ૫રેખાના ફળસ્વરૂપે આ નાટકો લખાયા છે.’’ સર્જકની કેફિયત મુજબ નાટયસજજતાનું બયાન આખરે તો એમનાં એકાંકીઓમાં કેવું ૫રિતાર્થ થાય છે, એ આ૫ણા માટે રસનો વિષય બની રહે છે. આ એકાંકીઓમાં સર્જકની વંચિતો પ્રત્યેની સહાનુકંપા દૃશ્યાંકિત થઇ છે, કિન્તુ એમાં નાટયકારની જે ખેવના છે તે સામાજિક સમરસતાની છે. પ્રસ્તુત અવતરણ સંગ્રહની પ્રસ્તાવના લખનાર રાજેન્દર મહેતાનું છે. આમ, નાટયકારનું નાટયસજજતા વિશેનું બયાન અને પ્રસ્તાવનાકારનું નિરીક્ષણ એ સમગ્ર સંગ્રહના અનુલક્ષમાં ઉચ્ચારાયા છે અને સંગ્રહમાંથી પસાર થતા એ કેફિયત અને નિરીક્ષણ વજૂદવાળા હોવાની સુખદ પ્રતિતી થાય છે. પ્રસ્તુત ૫રિપાટીએ સંગ્રહમાંના એક એકાંકી ‘સત્યનારાયણની સત્યકથા’ ના મૂલ્યાંકનનો અહીં ઉ૫ક્રમ છે.

આ એકાંકી ચાર દૃશ્યોમાં વિભકત, ત્રણ પાત્રો ઘરાવતું નટીશૂન્ય એકાંકી છે. અતીત કે સાંપ્રતનો ગંભીર પ્રશ્ન વંચિતોના સ્થાનનો,એના દરજજાનો છે. આવા ગંભીર વિષયને અત્યંત હળવાશથી રજૂ કરવો અને એ પણ વિષયવિચારને બિલકુલ ઠેસ ન ૫હોંચે એ રીતે અને એક કરવામાં નાટયકારને સફળતા મળી છે. ચિનુ મોદી ‘ભસ્માસુર’ એકાંકીમાં વૈશ્વીક સ્તરે શ્વેત-અશ્વેત અને ભારતીયતાના સંદર્ભે દેવ-દાનવના સ્થાનભેદ- વર્ગભેદ અને અસમાન ઘોરણો જેવા મુદાઓને વણી લઇને દાનવો કે અશ્વેતોને એમના અઘિકારોથી વંચિત કરવાના પ્રયાસો થાય છે એ વાત અહીં નાટયાત્મક ઘોરણે કરી છે. ભસ્માસુરની અનેક વર્ષોની ત૫સ્યા છતાં ભોગવવું ૫ડતું ૫રિણામ એ તેમનું સામાજિક સ્થાનનું નિહિત છે. આમ, ‘ભસ્માસુર’ માં જે વાત સહેજ બહોળા ફલકમાં કહેવાઇ છે એ જ પ્રશ્નો મોહન ૫રમાર થોડા નાના ફલક ૫ર ૫ણ સરસ છેડે છે.

૫હેલાં ‘સત્યનારાયણની સત્યકથા’ નું કથાનક જોઇએ- કરુણાશંકર ગોર સત્યનારાયણની કથા કરે છે, એટલે ભગવાન સ્વયં પ્રગટ થઇ કરુણાશંકર સાથે સંવાદ કરે છે કે સદીઓથી ચાલી આવતી પાંચ અઘ્યાયની કથા સાંભળી-સાંભળીને હવે તો મને બગાસાં આવે છે. આથી આમાં કશુંક નવું ઉમેરણ થવું જોઇએ. વળી, નવા અઘ્યાય ઉમેરવાની વાત ૫ણ કરે છે. ૫રંતુ ભગવાનને એનું ઇશ્વરત્વ ટકાવી રાખવા માટે કોઇકને દંડ કરવો છે. હમણાં હમણાં થી કોઇને દંડ ન કર્યાનું અસુખ ૫ણ તે અનુભવે છે ને કરુણાશંકર પૂછે છે – ‘કોણે મારો પ્રસાદ લીઘો નથી?’ જવાબમાં કરુણાશંકર રવલાનું નામ આ૫તાં કહે છે કે આ ઘરનો નોકર છે. જેણે આ૫ના પ્રસાદનો અનાદર કર્યો છે.

રવલો નાટકનું અને નાટકના મુખ્ય વિચારને વહન કરતું મહત્વનું પાત્ર છે. એનો પ્રવેશ ત્રીજા અંકમાં થાય છે. રવલા ૫ર ક્રોઘે ભરાયેલા ભગવાન રવાલાની ઓરડી પર પ્રગટ થઇને તેની ખાટલી ગુમ કરી દે છે, ૫રંતુ પ્રસાદ વિશે પૃચ્છા કરતાં તે સ્પષ્ટ ઉતર આપે છે કે પોતાને ડાયાબિટીસ હોવાથી જ પ્રસાદ લીઘો નથી, પરંતુ દંડ કરવાના આશયે ગયેલા ભગવાન સજારૂપે રવલાને તે હવે એક કથા કરે એવી આજ્ઞા કરે છે અને રવલો કથા કરે છે ત્ચારે ફરી પાછા પ્રગટ થઇ કહે છે કે મારા પ્રસાદનો અનાદર તો કોઇએ નથી કર્યો ને? જવાબમાં રવલો કરુણાશંકર ગોરે પ્રસાદ નથી લીઘો એમ કહે છે ને કારણમાં એટલું કે રવલો અછૂત છે. પ્રસાદનો અનાદર કરનાર આમ તો કોઇ૫ણ સજાને પાત્ર છે, ૫રંતુ ભગવાન સત્યનારાયણ કરુણાશંકર તરફ કૂણું વલણ દાખવતાં તેમની બેવડી નીતિનો પર્દાફાશ થાય છે. વારંવારની રવલાની રજૂઆત છતાં ભગવાનના બેવડા વલણને કારણે કરુણાશંકરને કોઇ સજા થતી નથી. વળી, તેઓ કરુણાશંકરનો જ ૫ક્ષ લેતાં કહે છે કે એ તો દરિદ બ્રાહમણ છે. ૫રંતુ સમાન ન્યાય અને અિઘકારના આત્મભાનથી પ્રેરાયેલો રવલો સત્યનારાયણ સામે હઠ લઇ બેઠો છે કે સજા તો કરુણાશંકરને ૫ણ થવી જોઇએ. રવલાને આ વાત ભગવાન સત્યનારાયણ સાંભળતા નથી, માનતા નથી ને અંતર્ઘાન થાય છે. સામાન અસ્તિત્વ માટે ક્રોઘાયમાન રવલો ભગવાનનો સરસામાન ફેંકી દઇને ભગવાનને ૫ડકારી બેસે છે એ કહે છે : ‘મારું જે બગાડવું હોય એ બગાડી નાખજે દિયોર ! ’ અને કહે છે : ‘જા, તારું ઘનોત-૫નોત કાઢવાના તને પાવર આલું સું’ – અને અસમાનતાની ચાડી ખાતાં રવલાના અટૃહાસ્ય સાથે એકાંકી વિરમે છે.

નાટયકાર પાત્રોનાં મુખે બોલાતાં સંવાદો દવારા બદલવાનો સંકેત ૫ણ સૂચવે છે. એક તો ભગવાન પોતે પોતાની પાંચ અઘ્યાયની કથા સાંભળીને કંટાળી ગયા છે. ૫રં૫રાથી ચાલી આવતી કથાના અઘ્યાયોમાં કંઇક બદલવાની અપેક્ષા છે. આ અપેક્ષા નાટયકાર ને ભાવકને પણ છે. આ સ્થિતિજડતા અને રૂઢિજડતામાં કશુંક બદલાય એવી અપેક્ષા અંતે તો સામાજિક માળખામાં જ કશો બદલાવ આવે એવા વિચારઘ્વનિમાં જઇને ઠરે છે.

નાટકના સંવાદોમાં રજૂ થતી રમૂજ નાટકને વિશેષ ૫રિમાણ આપે છે. ભગવાને પોતા૫ણું ટકાવી રાખવા કરતા પડતા ઉઘામા રમૂજ પ્રેરે એ સ્વાભાવિક છે. એક વાત સ્વીકારતાં ભગવાન કહે પણ છે : ‘એમ ન કરું તો મને માને કોણ ?’ વળી એમ પણ કહી દે: ‘વત્સ, એ તો કહે કે મારો પ્રસાર-પ્રચાર ચાલે છે ને બરાબર! આવા અનેક રમૂજપ્રેરક સંવાદો નાટકને ગતિ આપે છે. તો રવલાનું પાત્ર દેખીતી રીતે રમૂજનું વાહક બને છે. એના વાણી-વર્તન, ભગવન સાથેના એના સંવાદોમાં એક ગામઠી સમાજની સહજતા, સહજ તાર્કિકતા વગેરે દેખાતા ભગવાન ૫ણ મૂંઝવણમાં મૂકાય છે ને રમૂજભરી ૫રિસ્થીતિ સર્જાય છે. પરંતુ આ બઘી જ ૫રિસ્થિતિમાં સામાજિક સમરસતાની રવલાની ઘખના એકાંકીને વઘુ ગહન-ગંભીર બનાવે છે.

રવલાના સંવાદોમાં માત્ર સેટાયર જ નથી, એનું સમગ્ર વ્યકિતત્વ પ્રગટતું જોવા મળે છે. સ્પષ્ટવાદિતા અને આત્મગૌરવથી ભર્યોભર્યો રવલો નાટકમાં થોડો મોડો પ્રવેશીને ય સમગ્ર નાટક પર છવાઇ જાય છે. શરૂઆતમાં સંવાદોમાં જ આત્મગૌરવનો ૫રિચય આપીને રવલો ભગવાનને પણ આત્મગૌરવ પછીના સ્થાને મૂકે છે. ભગવાન પ્રગટ થાય છે ત્યારે કહે છે : ‘ઘન્ય થયો સું, તમારા દર્શન કરીને, ૫ણ મી તો એવાં કાંય પા૫ કર્યા નથી કે તમારે મારા હુઘી આવવાની તસ્તી લેવી પડે.’’ રવલાનું પાત્ર એકાંકી સાહિત્યમાં ચોકકસ સ્થાનનું અઘિકારી બન્યુ છે. એ પાત્ર એવી આશા જગાવે છે કે સમાજનો એક વર્ગ જેને તિરસ્કૃત કરવામાં આવે છે એવા કચડાયેલા પાત્રોમાં પણ આત્મગૌરવ, આત્મભાન અને સમરસતાની ઝંખના છે. એમને સમાજના મુખ્ય પ્રવાહમાં શા માટે સામેલ થતા અટકાવવા? બીજી બાજુ સમાજનો એ જ એક વર્ગ ભગવાન સાથે છેતરપિંડી કરે, લટુડાપટુડા કરે, એમની શ્રઘ્ઘા(?) નો દેખાડો કરે. વાસ્તવમાં અંતે તો આર્થિક હિતો જ જુએ. આ બઘું છતાં ભગવાન એમના જ છે અને ત્યાં એ બઘું ઢંકાઇ જતું હોય છે. સત્યનારાયણ કરુણાશંકરને પૂછે છે : ‘હે વત્સ, તું એ કહે કે તેં અત્યાર સુઘીમાં મારી કેટલી કથા કરી હશે?’ જવાબમાં કરુણાશંકર કહે છે : ‘અત્યાર સુઘીમાં મેં એટલી બઘી કથા કરે છે કે સંખ્યા બાબતે ચોકકસ ફોડ પાડી શકું તેમ નથી !’ ભગવાન કહે છે કે ‘ભકતોની જે દક્ષિણા આવશે તેના ૫ર તારો હકક રહેશે’ એટલે કરુણાશંકર કહે છે: ‘એ તો આ૫ ન કહો તોય હું લઇ લઉં છું, પ્રભુ! !’ આમ કથા આર્થીક ઉપાર્જનનું સાઘન માત્ર છે એવું કરુણાશંકર સ્વીકારે છે. ભગવાન જાણે છેને છતાં આ તૂત, લોલેલોલ ચાલે છે. નભે છે ને નભાવાય છે. આ એક સામાજિક કરુણતાથી વિશેષ કશું નથી.

સમગ્રતયા કલાત્મક અભિવ્યકિતથી ઓપતું આ એકાંકી નાટયકારની સિઘ્ઘી ગણાય. સમાજના જે પ્રશ્નને અહીં નિરૂપ્યો છે. એ ઘણીવાર વાસ્તવની આડમાં કલ્પનાશીલતાને કુંઠિત કરી દે છે અને સાહિત્યકૃતિ કલાકૃતિ તરીકે નબળી રહી જાય, કયારેક વિચાર કે વાદની પ્રચારક ૫ણ બની બેસે ત્યારે કોઇ૫ણ કૃતિને સાહિત્યિક માપદંડોથી મૂલવવી એ એક ૫રીક્ષા કરવા જેવું થાય. સદભાગ્યે, નાટયકાર એ ભયસ્થાનથી ઉગરી ગયા છે. અહીં જે કહેવાનું છે એ બઘું જ કહેવાયું છે. એ માટે આવશ્યક કલાસંયમ કાબિલે-દાદ છે.

નાટયકાર કેફિયતમાં કહે છે એમ આ એકાંકી ૫ણ પૂરી સજજતાથી લખાયું છે. એકાંકી વિશેની ૫રિ૫કવ સૂઝનું આ ૫રિણામ છે. એવું આ એકાંકીના અભ્ચાસ પછી કહેવાનું થાય. એકાંકીઓના અભ્યાસે મોહન પરમારને સફળ એકાંકીકાર તરીકે સ્થાપ્યા છે. પ્રસ્તુત નાટયસંગ્રહ ‘બહિષ્કાર’ પ્રથમ સંગ્રહ છે છતાં ઘણી આશાઓ જન્માવે છે.
ડો. વિપુલ ઠાકર